દાહોદ : ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ વ્યકિતને સ્વરોજગારીની તક મળે અને તેઓ પોતાનો સ્વતંત્ર ધંધો- રોજગાર શરૂ કરી આત્મનિર્ભર બને તે માટે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેકટર ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) બેંકો, તથા ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન મળી રહે તે હેતુસર શ્રી વાજપાઇ બેંકેબલ યોજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દાહોદ મારફત અમલીકરણ થાય છે.

આ યોજનામાં ૧૮ થી ૬પ વર્ષ સુધીની ઉંમરની કોઇપણ વ્યકતિ આ યોજનાનો લાભ લઇ શકે છે. લાભ લેનાર વ્યકિત ઓછામાં ઓછું ધોરણ-૪ પાસ અથવા સંબંધિત ધંધાની તાલીમ/અનુભવ મેળવેલ હોવી જોઇએ.

અરજદારો નવા એકમ માટે તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે જે તે બેંકના નિયત કરેલા વ્યાજદરે રૂ. ૮ લાખ સુધીની લોન મેળવી શકે છે. જેના ઉપર ૨૦ થી ૪૦ ટકા નિયમ મુજબ મહતમ રૂ. ૧, ૨૫,૦૦૦/- સુધીની સબસીડી મળવાપાત્ર થાય છે. 

આ યોજનાનો લાભ લેવા માટે પાસપોર્ટ ફોટો, આધારકાર્ડ, શાળા છોડયાનો દાખલો/જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવનો દાખલો/છેલ્લી માર્કશીટની નકલ. ધંધાને લગતા ભાવપત્રક. ધંધાના સ્થળનો આધાર (લાઇટબિલ/વેરા પહોંચ) જેવા ડોકયુમેન્ટ સાથે www.blp.gujarat.gov. in પોર્ટલ ઉપર વિનામૂલ્યે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જો આપને યોજના સંબંધિત કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, દાહોદ, ઝાલોદ રોડ ગામ ખરોડ દાહોદ તા. જિ. દાહોદ નો સંપર્ક સાધવાનો રહેશે એમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, દાહોદ દ્વારા જણાવાયું છે.