અંકલેશ્વર જી.આઇ.ડી.સી. સ્થિત શ્રી સ્વાિનારાયણ ગુરુકુળ પરીવાર દ્વારા 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 500 ઉપરાત વિદ્યાર્થીઓ દ્વારા અંકલેશ્વર શહેરની ગલી ગલમાં તિરંગા યાત્રા ની વરસાદી માહોલ વચ્ચે શાનદાર રેલી યોજાય હતી. જેમા ગુરુકુલ સંસ્થાના વડા સ્વામી શ્રી કુષ્ણવારૂપ શાસ્ત્રીજીએ ભવ્ય તિરંગા યાત્રાની રેલી નો D.J સાથે નો શુભારંભ કરાવ્યો હતો. રેલીમા ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરીયા , સમાજ અગ્રણીઓ,. દરેકને ફેકલ્ટી માં આચાર્ય શ્રી ઓ , શિક્ષક સહિત વાલીઓ હાજર રહ્યા હતાં , રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા કી જય , જય હિન્દ, મેરા દેશ મહાન, ગુરુકુલ મૈયા કી જય, વિશ્વ વિજય તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા, જેવા રાષ્ટ્રિય નારા ઓ લગાવી ને 75 વર્ષ થી અવિરત પૂજાતી આવતી રાષ્ટ્રભક્તી ની અખંડિત ધારા ને જીવંત રાખવાની કોશિશ કરી હતી. રેલી પુર્ણ થશે સંસ્થાનાં શાસ્ત્રી શ્રી જયસ્વરૂપદાસજી એ જ્યાં સુધી સૂર્ય - ચંદ્ર રહેશે ત્યાં સુધી આપણો તિરંગો આ બ્રહ્માંડ માં લહેરાતો રહશે એવી ભાવના વ્યક્ત કરી હતી. અંત માં રાષ્ટ્ર ગાન કરિને કાર્ય ક્રમ ની પૂર્ણાહૂતિ કરી.