પ્રમુખ આદરણીય સોનિયા ગાંધીને પાયા વિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોઈ પણ પુરાવા કે હકીકતોના આધાર વિના ઈડીનો વ્યક્તિગત,દ્વેષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવા ના આ આક્ષેપ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારણા કાર્યક્રમ યોજાયો હતો

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રયાભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે સત્ય માટેની આ લડાઈ માટે એકતા અને શાંતિપૂર્વક દેખાવોને કચડી નાખવા માટે કેન્દ્રનું શાસન હતાશાપૂર્વક, પાશવી બળનો ઉપયોગ કરી રહ્યું છે.ન્યાય માટેની લડત સાથે જોડાવા પોલીસરાજના વિરોધમાં સુરેદ્રનગર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરેન્દ્રનગર ક્લેકેટર કચેરી

સમક્ષ શાંતિપૂર્વક અને અહિસંક રીતે જંગી ધરણાંનો કાર્યક્રમનું  કરવામાં આવ્યો જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, શહેર પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલા, મોહનભાઈ પટેલ, જિલ્લા માઈનોરીટી ચેરમેન સાહિર સોલંકી, નિલેશ વાઘેલા, sc ચેરમેન કિશોર,  ચાવડા, પદુભા પરમાર,  અલ્પેશ ગાબુ, સાગર ચામડિયા, વિપુલ મકવાણા, ધર્મેન્દ્રસિંહ પરમાર,  સંદિપ મહેતા,રજનીભાઇ કડ, નિલેશ વાઘેલા તથા અન્ય  હોદ્દેદારશ્રીઓ  અને કાર્યકરો  મોટી સંખ્યામાં હાજર રહ્યા.