સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે સમીક્ષા બેઠક યોજાઈ રાજ કાપડિયા 9879106469 વિનામૂલ્યે સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો 

દાહોદ : ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. ત્યારે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લામાં ૨૧ જૂન ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણીની સમીક્ષા કરતાં કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, મોટાભાગના લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાઈ સહભાગી બને. દાહોદના કેન્દ્રમાં આવેલ ઐતિહાસિક છાબ તળાવ ખાતે વિશ્વ યોગ દિવસ યોજાવાનો છે ઉપરાંત તમામ તાલુકા મુજબ તાલુકા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી માટેની પૂરતી વ્યવસ્થા કરવા માટેની સૂચના સંબંધિત તમામ અધિકારીશ્રીઓને આપવામાં આવી હતી.

આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, દાહોદ પ્રાંત અધિકારીસુશ્રી નિલાંજસા રાજપૂત, મામલતદારશ્રી, જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ વિભાગના અધિકારીશ્રી, યોગ શિક્ષકો તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.