આણંદ.

ખાનપુર.

આણંદના ખાનપુર નજીકથી પસાર થતી મહી નદીમાં ન્હાવા પડેલા એક જ પરિવારના ચાર લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાનો બનાવ બન્યો છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા ચારેયના મૃતદેહોનો બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં બે મહિલા અને બે યુવકોનો સમાવેશ થાય છે.

ગામડીનો પરિવાર આણંદના ખાનપુર પાસેથી પસાર થતી મહી નદીમાં ન્હાવા માટે ગયો હતો. બે યુવકો અને બે મહિલાઓ સહિત ચાર લોકો ડૂબી જતા મોત નિપજ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા ચારેયના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત