લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થતાની સાથે જ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડવાની જાહેરાત કરી દીધી છે. AAPના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સાથેનું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ હતું, વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા જ લડશે.