કાલોલ નજીક આવેલ પાંડુ મેવાસ ગામે સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક સદનશાહ પીર દાદા ની દરગાહ આવેલી છે જે પરંપરાગતરીતે દરવર્ષે ઈસ્લામી ઝિલ્કદ મહિનાની મુસ્લીમ ૧૭/૧૮ તારીખે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.આ બે દિવસીય ઉર્ષ નિમિત્તે પાન્ડુ મેવાસ અશરફી કમેટી દ્રારા તારીખ ૨૭/૦૫/૨૦૨૪ રવિવાર ના રોજ ઉર્ષના પહેલા દિવસે ઝુલુસ સંદલ સાથે ભારે ભક્તિમય વાતાવરણમાં પાન્ડુ ગામના વિવિધ રસ્તાઓ ઉપરથી પસાર થઈ દરગાહ ખાતે આવી પહોંચતા જ સંદલ-ચાદરની રસમ અદા કરી હતી અને તારીખ ૨૮/૦૫/૨૦૨૪ સોમવારના રોજ દરગાહ ખાતે પધારનાર સર્વે શ્રદ્ધાળુઓ માટે આમ ન્યાઝનું આયોજન કરાયું હતું. હઝરત સૈયદ દાદા સદનશાહ સરમસ્ત બાબાના દરબારમાં બે દિવસીય ઉજવાયેલા દબદબાભેર ઉર્ષની ઉજવણી અંતર્ગત કાલોલ સહિત પંચમહાલ જીલ્લા તેમજ વડોદરા શહેર સહિત સમગ્ર જીલ્લાના દૂર-દૂરથી પધારેલા હિન્દુ-મુસ્લીમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.હઝરત સૈયદ દાદા સદર સરમસ્ત બાબાના દરબારમાં સંદલ શરીફની રસમ હઝરત સૈયદ કલંદર બાબા પાલી સેવાલીયા વાળા સાથે સુરત સ્થિત રિફાઇ સાહેબની મોટી ગાદીના ધર્મગુરુ સૈયદ ગૌષુદ્દીન રિફાઇ ઉર્ફે હઝરત સાહેબ અને હઝરત સૈયદ વજીઉદ્દીન રીફાઇ ઉર્ફે હુશેન સાહેબ ના હસ્તે અદા કરવામાં આવી હતી.સાથે ભારે અકિદતપૂર્વક સલાતો સલામના નજરાનાની સાથે ફુલ ચાદર તેમજ ફાતેહા પેશ કરી સર્વે કલ્યાણ માટેની દુવા માંગવામાં આવી હતી.કહેવાય છે કે બે દિવસીય ચાલેલા ઉર્ષ મેળા માં હજારો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ દાદા ના મજાર શરીફના દીદાર કરી ધન્યતા અનુભવે છે અને અહીંયા રાખવામાં આવતી દરેક માનતા પૂર્ણતાના આરે પહોંચતી હોવાથી શ્રદ્રાળુઓનો મેળો વાર-તહેવારે લાગેલો રહેતો હોય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोहा निवासी भागै देवी सरकारी घर के आस में आज भी टुटीफुटे घर में रहने को विवश
रोहा पौरसभा के 6नं वार्ड निवासी भागै देवी नामक आर्थिक तौर पर दुर्बल वृद्ध मिला सरकारी घर के आस...
After Delhi, AAP's Liquor scam in Punjab should also be investigated and exposed : Chugh
BJP national general secretary Tarun Chugh today demanded a central agency inquiry into the...
Junagadh Parikrama | જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા દુઃખદ ઘટના બની | Junagadh lili Parikrama | Dpnews
Junagadh Parikrama | જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમા દુઃખદ ઘટના બની | Junagadh lili Parikrama | Dpnews
Ashwini Kumar Choubey ने Nitish Kumar पर कसा तंज, कहा- देश मोदी जी की गारंटी चाहता है | Aaj Tak
Ashwini Kumar Choubey ने Nitish Kumar पर कसा तंज, कहा- देश मोदी जी की गारंटी चाहता है | Aaj Tak
પી.એમ.પોષણ મધ્યાહ્નન યોજના કર્મચારી સંઘ આણંદ દ્વારા પડતર માંગણીઓને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું.
રાજ્યમાં વિવિધ મંડળો માંગણીઓને લઈને આંદોલનો કરી રહ્યા છે ત્યારે પી.એમ.પોષણ મધ્યાહ્નન યોજના...