ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે: અંબાલાલ પટેલે નવા વાવાઝોડાની પણ તારીખ આપી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદ અને વાવાઝોડાની આગાહ કરી છે. તેમનું અનુમાન છે કે, 24 કલાક ગરમીનુ પ્રમાણ યથાવત રહેશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.

ચોમાસાને લઈને તોફાની આગાહી, ગુજરાતને ધમરોળશે વાવાઝોડું 

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડુ સક્રિય થયું છે. આ સાથે જ ચોમાસુ પણ આગળ વધી રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં ગરમી નથી પડી એવી ચાલુ વર્ષે ગરમી પડી છે. છેલ્લા એક સપ્તાહથી સતત 44 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે.

સુર્ય પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને ગરમીમાંથી રાહત મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વરસાદ અને વાવાઝોડાની આગાહ કરી છે. તેમનું અનુમાન છે કે, 24 કલાક ગરમીનુ પ્રમાણ યથાવત રહેશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે અને આશિક ગરમીમાંથી રાહત મળશે. પવનની ગતી પણ વધશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે. આજથી 28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે. 26 થી 31 મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે, ડાંગ સુરત,સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્તા રહેશે.

રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મે થી 4 જુનમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 8 જુનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.