હાલોલ : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન...

હાલોલ : અખિલ ભારતીય સંઘ સમિતિ, હિન્દૂ ધર્મ સેના અને ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનોએ મળીને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું...

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ભારતમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહયું છે ત્યારે આજે હાલોલમાં અખિલ ભારતીય સંઘ સમિતિ, હિન્દૂ ધર્મ સેના, ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના આગેવાનો એ ભેગા મળીને આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ૩૦૦૦ હજાર ઉપરાંત યુવાનો, વડીલો સહિત અન્ય લોકો ૫૦૦ જેટલીઓ ગાડીઓ લઈને ઉપસ્થિત રહયા હતા ત્યારે આ યાત્રા હાલોલ નગરમાં ફરીને પાવાગઢ માં કાલી માતાજીની પ્રદક્ષિણા કરીને તાજપુરા ખાતે બાપુના આર્શીવાદ લઈને આ યાત્રાનું સમાપન કરવામાં આવશે.