લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪

 સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ પરથમપુર મતદાન મથકે ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧૧-૦૫-૨૦૨૪ ના રોજ પુન : મતદાન કરવાનો નિર્ણય લેવાયો રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ : લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ ને લઈને ૧૨૩ - સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ ૨૨૦ - પરથમપુર મતદાન મથક ખાતે મતદાન પ્રક્રિયા દરમ્યાન અનિયમિતતાનો બનાવ બનતાં ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ થયેલ મતદાન રદ કરી તા.૧૧-૦૫-૨૦૨૪ ના રોજ પ્રાથમિક શાળા, પરથમપુર, તા. સંતરામપુર, જી. મહીસાગર ખાતે (સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી) પુન :મતદાન કરવા જણાવ્યું છે. જેની આ મતદાન મથકમાં સમાવિષ્ટ વિસ્તારના મતદારો, ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોને પુન : મતદાનની તારીખ, સમય અને સ્થળની જાણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે દ્વારા જણાવાયું છે.

 પુન : મતદાન થનાર મતદાન મથકમાં સમાવિષ્ટ વિસ્તાર 

૧) પટેલ કટારા, પારગી ફળિયું, પરથમપુર 

૨) કાળીયા ફળિયું, પરથમપુર 

૩) નિશાળ ફળિયું, પરથમપુર