ખાંભાના સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજ વિશે અભદ્ર ભાષણ કરનાર ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિરૂદ્ધ કાર્યવાહી કરવા મામલતદાર ખાંભા મારફતે રાજ્યપાલ શ્રી ને આવેદન પત્રમાં આપવામાં આવ્યું.

કોળી સમાજની લાગણી દુભાય અને કોળી સમાજ વિરૂધ્ધ કનુભાઈ દેસાઈ(નાણામંત્રી-ગુજરાત સરકાર) દ્વારા જાહેર સભામાં કોળી સમાજ વિશે અભદ્ ભાષણ ટિપ્પણી કરેલ હોય જેથી તેઓને નાણામંત્રી પદેથી સસ્પેન્ડ કરવા તેમજ ધારાસભ્ય પદેથી તાત્કાલીક ૨૪ કલાકમાં હટાવવા સમસ્ત કોળી સમાજ ખાંભાની માંગણી કરવામાં આવી અને જે બાબતે ત્વરીત યોગ્ય કરવા રજુઆત કરી હતી અને ત્વરીત કનુભાઈને સસ્પેન્ડ કરવામાં નહી આવે તો કોળી સમાજ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે જેનીનોંધ લેવા સમસ્ત કોળી સમાજ તેમજ અખિલ ભારતીય કોળી સમાજ ખાંભાના  પ્રમુખ શ્રી ગોપાલભાઈ પરમાર, અમરશીભાઈ પરમાર,ધીરુભાઈ વાળા,ભીમજીભાઈ સાંખટ આકાશભાઈ ચાવડા વગેરે આગેવાનો દ્વારા મામલતદાર શ્રી ખાંભા મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપી આપવામાં આવ્યું.