ડીસાના જૂનાડીસા ગામે છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં યુવાને બુધવારે રાત્રે ઘરમાં પંખા ઉપર દોરડું બાંધી ગળે ટુંપો ખાઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો.જેને લઈ ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને લઇ પરિવારમાં શોક છવાયો હતો.

ડીસા તાલુકાના જૂનાડીસા ગામના 25 વર્ષીય દિલીપભાઈ પ્રતાપભાઈ રાઠોડ છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે બુધવારના રાત્રિના સમયે અગમ્ય કારણોસર ઘરની અંદર પંખાની ઉપર દોરડું બાંધી ટૂંપો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં આજુબાજુથી લોકો દોડી આવી યુવકને ડીસા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાને લઇ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. યુવકે આપઘાત કયા કારણોસર કર્યો તેને લઈ રહસ્ય સર્જાયું છે.