ખેરાળી ગામે રહેતા ખેડૂત બાબુભાઈ ભોપાભાઈ કમેજળીયા (ઉ.વ.૩૦) અને તેમના પત્ની અનસોયાબેન કમેજળીયા (ઉ.વ.૨૮) મંગળવારે સાંજે ટ્રેકટરમાં ઘર તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ખેરાળી ગામ પાસેથી પસાર થતી કેનાલના રસ્તે કાચા રસ્તા અને ખાડાના કારણે ખેડૂતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલમાં ખાબક્યું હતું. જે અંગે સ્થાનિકોએ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલા ખેડૂત દંપતીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સાત કલાકની જહેમત બાદ બાબુભાઈની લાશ મળી આવી હતી. જ્યારે પત્નીની લાશનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. આથી બીજે દિવસે સવારથી ફાયર ફાયટર ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડીસાંજ સુધી પત્નીની કોઈ ભાળ મળી નહોતી.જ્યારે માળોદ કેનાલ પાસે ઉભેલા કોઈ વ્યક્તિએ છુટ્ટા વાળ સાથે કોઈ તણાઈ રહ્યું હોય તેવું જોતા પત્નીની લાશ તણાઈને માળોદ કેનાલ તરફ જતી રહી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આમ બનાવ બન્યાના ૪૮ કલાક બાદ પણ અનસોયાબેનની લાશ મળી આવી નહોતી. જ્યારે ખેડૂતની અંતિમવિધી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉના : મુસ્લિમ સમાજ દ્વારા માજી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નું સન્માન કરવામાં આવ્યું
ઉના : મુસ્લિમ સમાજ દ્વારા માજી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ નું સન્માન કરવામાં આવ્યું
गिरावट के बाद भी May 2024 में सबसे ज्यादा हुई Toyota Fortuner की बिक्री, Full Size SUV सेगमेंट में किसका रहा कैसा हाल, जानें डिटेल
भारतीय बाजार में हर महीने बड़ी संख्या में वाहनों की बिक्री होती है। बाजार में किसी भी दूसरे...
#Surat | સત્તાથી ઉપરવટ જતા સમન્સ | Divyang News
#Surat | સત્તાથી ઉપરવટ જતા સમન્સ | Divyang News
7 Best Foods to Control Diabetes & Lower Blood Sugar | Diabetes Control Tips
7 Best Foods to Control Diabetes & Lower Blood Sugar | Diabetes Control Tips