ખેરાળી ગામે રહેતા ખેડૂત બાબુભાઈ ભોપાભાઈ કમેજળીયા (ઉ.વ.૩૦) અને તેમના પત્ની અનસોયાબેન કમેજળીયા (ઉ.વ.૨૮) મંગળવારે સાંજે ટ્રેકટરમાં ઘર તરફ જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ખેરાળી ગામ પાસેથી પસાર થતી કેનાલના રસ્તે કાચા રસ્તા અને ખાડાના કારણે ખેડૂતે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલમાં ખાબક્યું હતું. જે અંગે સ્થાનિકોએ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલા ખેડૂત દંપતીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સાત કલાકની જહેમત બાદ બાબુભાઈની લાશ મળી આવી હતી. જ્યારે પત્નીની લાશનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. આથી બીજે દિવસે સવારથી ફાયર ફાયટર ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડીસાંજ સુધી પત્નીની કોઈ ભાળ મળી નહોતી.જ્યારે માળોદ કેનાલ પાસે ઉભેલા કોઈ વ્યક્તિએ છુટ્ટા વાળ સાથે કોઈ તણાઈ રહ્યું હોય તેવું જોતા પત્નીની લાશ તણાઈને માળોદ કેનાલ તરફ જતી રહી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આમ બનાવ બન્યાના ૪૮ કલાક બાદ પણ અનસોયાબેનની લાશ મળી આવી નહોતી. જ્યારે ખેડૂતની અંતિમવિધી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
1.5 कि.मी. तक पदयात्रा करते हुए बाबा के धाम पहुचे लोकसभा स्पीकर, बोले सभी आस्थाओं और विश्वासों का संगम स्थल है रामदेवरा
रामदेवरा के प्रवास पर आए लोकसभा अध्यक्ष ओम बिरला ने सोमवार को बाबा रामदेव की समाधि के दर्शन किए।...
कर्ज के दबाव के चलते पूर्व छात्रसंघ अध्यक्ष ने की आत्महत्या
कर्ज दबाव मे पूर्व छात्र संघ अध्यक्ष ने की आत्महत्या ,गोदाम मे फांसी का फंदा लगाया,शराब के...
জীয়াভৰলীৰ পাৰত হালধীয়াৰ সমাহাৰ
চৌপাশে কেৱল হালধীয়া আৰু হালধীয়া। জীয়াভৰলী নৈৰ দাঁতিত এতিয়া চৌপাশে হালধীয়াৰ সমাহাৰ। এই...
UP: Prayagraj के मुस्लिम कारीगर Maa Durga पर चढ़ाए जाने के लिए बना रहे चुनरी और कलावा |Muslim Family
UP: Prayagraj के मुस्लिम कारीगर Maa Durga पर चढ़ाए जाने के लिए बना रहे चुनरी और कलावा |Muslim Family