SSR-૨૦૨૨ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને
કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
અમરેલી તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૨ (શુક્રવાર) ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર તા.૧/૧૦/૨૦૨૨ની મતદાર તરીકે લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિભાગોમાં મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ અંગેના અહેવાલો તા.૧૨ ઓગસ્ટ - ૨૦૨૨ના રોજ બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધીશ્રીઓને આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજકીય પક્ષના પ્રતિનિધીઓને અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતુ કે, જિલ્લામાં તા.૧૨/૦૮/૨૦૨૨થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશમાં રાજકીય પક્ષો પણ આગળ આવે અને નવા મતદારોની નોંધણી માટે પ્રયાસ કરે. જિલ્લામાં આગામી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી દરેક બુથ પર નવા મતદારોની નોંધણી તેમજ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ ઝુંબેશ હાધ ધરવામાં આવશે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી