વઢવાણ તાલુકાના બાળાથી ઝમરના માર્ગે ગામની સીમમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ લટકતો હોવાની માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે જઇ મૃતદેહને નીચે ઉતારી તેનું પીએમ કરાવી ગાંધી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મોકલી આપ્યો હતો. આ બનાવમાં મૃતકના હાથે એન-લવ ત્રોફાવેલુ ધ્યાને આવ્યુ હતુ ત્યારે આ પુરૂષ અંગે તેના વાલીવારસની સહિતની માહિતી મળે તો વઢવાણ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયુ હતુ.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં અવવારૂ સહિતની જગ્યાઓ પરથી મૃતદેહો મળવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે બાળાથી ઝમરના માર્ગે ગામની સીમમાં નાની કેનાલ પાસે બજરંગપુરાના કરશનભાઈ ગાંડાભાઈ ચાવડાના ખેતરે પૂર્વ દિશામાં ખેતરના શેઢે ગત તા. 13-4-2024ના રોજ લીમડાના ઝાડની ડાળી સાથે મૃતદેહ લટકતો હોવાની વિગતો બહાર આવી હતી.આથી આ ઘટના અંગે કરશનભાઈ ચાવડાએ વઢવાણ પોલીસ મથકે જાણ કરી હતી. ત્યારે હેડકોન્સ્ટેબલ આર.ડી.ચૌહાણ સહિતની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી. અજાણ્યા પુરૂષના મૃતદેહની તપાસ કરતા અંદાજે 40 વર્ષનો હોવાનું તેમજ મૃતકના હાથ ઉપર એન-લવ ત્રોફાવેલુ ધ્યાને આવ્યુ હતુ.મૃતકની લાશનું પીએમ કરાવીને હાલ તો બે-ત્રણ દિવસ માટે ગાંધી હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવી છે. બીજી તરફ આ મૃતકના કોઇ વાલીવારસ સહિતની કોઇને વિગતો મળે તો વઢવાણ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયુ હતુ. જ્યારે સમગ્ર બનાવની તપાસ આર.ડી.ચૌહાણ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હજુ મોરબી નો અકસ્માત શમ્યો નથી ત્યાં અમદવાદ શાહપુર નજીક મેટ્રો ટ્રેન માં લાગી આગ.
હજુ મોરબીનો અકસ્માત શમ્યો નથી, ત્યાં અમદાવાદમાં શાહપુર નજીક મેટ્રો ટ્રેનમાં આગ લાગી...
અમદાવાદ,...
Bike Mileage Tips: बिना एक पैसा खर्च किए बाइक का माइलेज बढ़ाने के 5 टिप्स
Bike Mileage Improvement Tips हर कोई चाहता है कि उसकी बाइक हमेशा अच्छी माइलेज दें। क्योंकि बाइक...
Rajnikant In Lucknow: Rajinikanth की मैंने कई फिल्में देखी हैं- Keshav Prasad Maurya | Jailer
Rajnikant In Lucknow: Rajinikanth की मैंने कई फिल्में देखी हैं- Keshav Prasad Maurya | Jailer
কোটালকুছি শতচণ্ডী যজ্ঞৰ পূৰ্ণাহুতিত অসংখ্য ভক্তৰ উথপথপ
বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত কোটালকুছি শ্ৰীশ্ৰী জয়জগন্নাথ মন্দিৰৰ দ্বি-শতবাৰ্ষিকী সমাৰোহ যোৱা...
गितेश सिंह सिसोदिया ने 43वीं बार डोनेट की एसडीपी
टीम जीवन दाता द्वारा लोगों की डेंगू व अन्य परिस्थितियों में लोगों को निरंतर एसडीपी उपलब्ध कराई जा...