વઢવાણ તાલુકાના બાળાથી ઝમરના માર્ગે ગામની સીમમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ લટકતો હોવાની માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે જઇ મૃતદેહને નીચે ઉતારી તેનું પીએમ કરાવી ગાંધી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મોકલી આપ્યો હતો. આ બનાવમાં મૃતકના હાથે એન-લવ ત્રોફાવેલુ ધ્યાને આવ્યુ હતુ ત્યારે આ પુરૂષ અંગે તેના વાલીવારસની સહિતની માહિતી મળે તો વઢવાણ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયુ હતુ.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં અવવારૂ સહિતની જગ્યાઓ પરથી મૃતદેહો મળવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે બાળાથી ઝમરના માર્ગે ગામની સીમમાં નાની કેનાલ પાસે બજરંગપુરાના કરશનભાઈ ગાંડાભાઈ ચાવડાના ખેતરે પૂર્વ દિશામાં ખેતરના શેઢે ગત તા. 13-4-2024ના રોજ લીમડાના ઝાડની ડાળી સાથે મૃતદેહ લટકતો હોવાની વિગતો બહાર આવી હતી.આથી આ ઘટના અંગે કરશનભાઈ ચાવડાએ વઢવાણ પોલીસ મથકે જાણ કરી હતી. ત્યારે હેડકોન્સ્ટેબલ આર.ડી.ચૌહાણ સહિતની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી. અજાણ્યા પુરૂષના મૃતદેહની તપાસ કરતા અંદાજે 40 વર્ષનો હોવાનું તેમજ મૃતકના હાથ ઉપર એન-લવ ત્રોફાવેલુ ધ્યાને આવ્યુ હતુ.મૃતકની લાશનું પીએમ કરાવીને હાલ તો બે-ત્રણ દિવસ માટે ગાંધી હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવી છે. બીજી તરફ આ મૃતકના કોઇ વાલીવારસ સહિતની કોઇને વિગતો મળે તો વઢવાણ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયુ હતુ. જ્યારે સમગ્ર બનાવની તપાસ આર.ડી.ચૌહાણ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ (IPS Sanjeev Bhatt)ને પાલનપુરના 1996ના NDPS કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમને આજે 27 માર્ચે પાલનપુર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. આ કેસમાં 28 વર્ષ બાદ આજે કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે.
30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ...
रामसा पीर के जयकारों और रिमझिम फुहारों के बीच मेघवाल समाज ने निकाली भव्य शोभायात्रा
रामसा पीर के जयकारों और रिमझिम फुहारों के बीच मेघवाल समाज ने निकाली भव्य शोभायात्रादेखने उमड़े...
Nasik: रामदास आठवले बोले- 'प्रधानमंत्री पद के लिए मोदी सबसे उपयुक्त, 2024 में फिर बनेंगे PM'
नासिक एजेंसी: केंद्रीय मंत्री रामदास आठवले ने सोमवार को अपना एक बयान जारी किया जसमें...
कोटा शहर में रिश्तों को तार-तार करने का मामला सामने आया है, जहां पर पति ही अपने दोस्त को बुलाकर अपनी पत्नी से दुष्कर्म करवाता था
कोटा शहर में रिश्तों को तार-तार करने का मामला
सामने आया है, जहां पर पति ही अपने दोस्त को...