રતનપર ઓમકાર સોસાયટી વિસ્તારમાં રહેતા ફરિયાદી પ્રતિપાલસિંહ લાલુભા મસાણી સાથે શહેરના સુંદરપાર્ક વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ ફરિયાદીની ઝેરોક્ષ તેમજ સ્ટેશનરીની દુકાને અવાર-નવાર આવતા હોવાથી મિત્રતા થઈ હતી. જે દરમિયાન વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીના સમયગાળામાં મહેન્દ્રભાઈને રૂપિયાની જરૂરિયાત હોવાથી ફરિયાદીએ રૂા.૮ લાખ એક વર્ષમાં પરત ચુકવી આપવાની શરતે આપ્યા હતા. આથી વર્ષ ૨૦૨૧માં આ મુદ્દત પૂર્ણ થતાં ફરિયાદીએ અવાર-નવાર આપેલી રકમની ઉધરાણી કરતા આનાકાની કરી હતી અને ઉધરાણી કરતા રૂા.૮ લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો.