સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરઘર તિરંગા અભ્યાન અંતર્ગત લોકો પોતાના ઘરે તિરંગો લેહરાવે તેવી લોકો ની અપીલ કરી છે ત્યારે સમગ્ર દેશમાં હરઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારના લઘુમતી મોરચા દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તિરંગા બાઇક રેલી નગર વિવિધ વિસાતરમાં ફરી હતી અને છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા પાવર હાઉસ ચાર રસ્તા અને નગર મુખ્ય માર્ગો પર આ તિરંગા બાઇક રેલી ફરી હતી અને સ્ટેશન ઝંડા ચોક ખાતે રેલીનું સમાપન થયું હતું,