કાલોલ ની જય નારાયણ હોસ્પીટલ મઘવાસ ખાતે એક દર્દી નું નામ ગરવાલ અરવિંદભાઈ સુરેશભાઈ ઉંમર ૩૦ વર્ષ રહે દાહોદ જેમની કીડની માં બનતી પથરી ની સારવાર જય નારાયણ હોસ્પિટલ માં ચાલતી હતી જેની વગર ઓપેરેશન માત્ર દવાથી પથરી નીકળી હતી તદુપરાંત કરજણ ના ગણેશ માળી નામના દર્દી ની પથરી પણ ઓપરેશન વગર નીકળી ગયેલ છે.જે દરદીઓ એ જયનારાયણ હોસ્પિટલ ના ડોકટર સુનીલ પરમાર નો આભાર માન્યો હતો. ડો સુનીલ પરમારે જણાવ્યુ હતુ કે 

પથરીનો રોગ સામાન્ય રીતે 30 થી 40 વર્ષની વય વચ્ચે થાય છે અને સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ત્રણથી ચાર ગણો વધુ જોવા મળે છે.વધુ પ્રવાહી પીવો,નાળિયેર પાણી, જવનું પાણી, પાતળી છાશ, સાદા ઠંડા પીણા (જેમ કે મીઠા વગરનો સોડા, લીંબુ), પાઈનેપલ જ્યુસ વગેરે જેવા પુષ્કળ પ્રવાહીનું સેવન કરવાથી પથરી બનવાની શક્યતાઓ ઘટી જાય છે.પથરીની તકલીફ હોય તેવી વ્યક્તિએ દ્રાક્ષનો રસ, એપલ જ્યુસ, કડક ચા, કૉફી, ચૉકલેટ અથવા વધુ ખાંડવાળા ઠંડાં પીણાં જેમ કે કોકાકોલા, બધી પ્રકારના દારૂ, બીયર વગેરે ન લેવા જોઈએ.