ભાસ્કરપરા છારદ વચ્ચે આગરવા ડેમ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં 58 નંબર ગેટ પાસે કોઈ અજાણ્યા બાળકને લાશ તરતી હોવાનું રાહદારીએ જોતા રાહદારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી.લખતર પોલીસને જાણ થતા લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકની લાશને નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. બહાર કાઢેલુ બાળક આશરે ત્રણથી ચાર વર્ષનું હોવાનું પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું હતું.જે બાળકના શરીર ઉપર જાંબલી કલરનું ટીશર્ટ પહેરેલું હતું.અને અર્ધનગ્ન અવસ્થામાં તરતું જોવા મળ્યું હતું. જેની લાશ પોલીસ દ્વારા કબજો લઈ લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જેની તપાસ હાલ લખતર પોલીસ દ્વારા ચલાવી લેવામાં આવી રહી છે.