સુરેન્દ્રનગરના રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેણાંક મકાનમાં આવી એક શખ્સને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર શખ્સે જોરાવરનગર પોલીસ મથકે ચાર મહિલા અને બે પુરૂષો સહિત છ શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.રતનપર મોટાપીરની દરગાહ પાસે રહેતા ફરીયાદી જાનમહમંદભાઈ હાજીભાઈ મોવરને પત્ની સાથે મનમળે ન હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી પત્ની રીસામણે છે.જે દરમ્યાન ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે પત્ની નુરજહાંબેન મુસાભાઈ તથા સાળા મહેબુબભાઈ, અયુબભાઈ, મોટી સાળી આયશાબેન, ઝરીનાબેન, નાની સાળી જીનતબેન સહિતનાઓએ એકસંપ થઈ લાકડાના ધોકા, લોખંડનો પાઈપ સાથે આવી રોકડ રકમ તથા મકાન આપવું પડશે.