સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ભાસ્કરપરા ગામેથી જુગાર રમતા સાત ખેલીઓ ઝડપાયા હતા. આ સાતેય શખશોને રેડ દરમિયાન રૂ.14210ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. લખતર પોલીસે આ સાતેય શખશો વિરુદ્ધ જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગુનાખોરીના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર પોલીસ વડા ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ લખતર પીએસઆઇ એન.એ.ડાભીની સુચના મુજબ લખતરના વિઠલગઢ બીટ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા તથા અનિકેતસિંહ સિસોદિયા અને મનોજભાઈ પેટ્રોલિંગ હતા, તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ભાસ્કરપરા ગામની અંદર બસ સ્ટેન્ડ પાસે આવેલા વિહત માતાના મંદિરના ચોગાનમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. ત્યારે બાતમીવાળી જગ્યા પરથી તીન પત્તીનો જુગાર રમી રહેલા 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં રોહિતભાઈ દયારામભાઈ કુકડીયા ( રહે-ભાસ્કરપરા ), જગદીશભાઈ બુધાભાઈ સોલંકી જાતે દેવીપુજક ( રહે- કુમરખાણ ), જમનભાઈ કમાભાઈ રેથડિયા ( રહે- ભાસ્કરપરા ), વાસુદેવભાઈ ગેમરભાઇ કુકડીયા ( રહે- ભાસ્કરપરા ), મફાભાઈ ધનજીભાઈ દેવીપુજક ( રહે-ભાસ્કરપરા ), નટુભાઈ સોમાભાઈ લોરીયા, ઇકબાલ ગોગા સિપાઈ ( રહે-વિઠ્ઠલગઢ ) સહિત સાતેય લોકોને રેડ દરમિયાન રૂ.14210ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. અને જુગાર એકટ ગુનો દાખલ કરી લખતર પોલીસ દ્વારા આગળની વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दशहरे मेले में करवाएंगे भव्य रामलीला, आमजन को मिलेगी निशुल्क बस सेवा: मेला समिति अध्यक्ष विवेक राजवंशी
131वे राष्ट्रीय दशहरा मेला 2024 में श्रीराम रंगमंच पर भव्य रामलीला का आयोजन करवाया जाएगा। शहर के...
ધ્રાંગધ્રા ની સુથાર શેરીમા મેલડી માતાજીનું આખ્યાન રમાયું
ધ્રાંગધ્રા ની સુથાર શેરીમા મેલડી માતાજીનું આખ્યાન રમાયું
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
জেহাদীৰ বিৰুদ্ধে চৰকাৰক কঠোৰ ব্যৱস্থা লোৱাৰ আহ্বান বিধায়ক আমিনুল ইছলামৰ
জেহাদীৰ বিৰুদ্ধে অসম চৰকাৰক কঠোৰ ব্যৱস্থা লোৱাৰ আহ্বান জনালে ধিঙৰ এ আই ইউ ডি এফ বিধায়ক আমিনুল...