ખાંભા ગામના ભગવતી પરા વિસ્તાર આસ્થાનું કેન્દ્ર શ્રી હનુમાનજી મંદિર ના ગ્રાઉન્ડ માં બ્લોક પેવિગનું કામ શરૂ થતાં શ્રદ્ધાળુ માં હર્ષની લાગણી.

ખાંભા ગામના ભગવતી પરા વિસ્તાર આસ્થાનું કેન્દ્ર શ્રી હનુમાનજી મંદિર ના ગ્રાઉન્ડ માં બ્લોક પેવિગના કામ માટે સેવાભાવી અને જાગૃત નાગરિક તેમજ આર ટી આઈ એકટીવિસ્ટ મુન્નાભાઈ કામળીયા દ્વારા ઘણા સમય થી અવાર નવાર લેખિત તેમજ મૌખીત માંગણીઓ કરતા ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા દ્વારા એ .ટી.વી.ટી ના કામમાંથી ગ્રાન્ટ ફાળવતા જેનો આજે અંત આવતા શ્રદ્ધાળુ માં હર્ષની લાગણી જોવા મળી.અને તમામ શ્રદ્ધાળુઓએ અવાર નવાર રજૂઆત કરતા મુન્નાભાઈ કામળીયા અને ગ્રાન્ટ ફાળવતા ધારી બગસરા ખાંભાના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા નો આભાર વ્યક્ત કર્યો હતો.