તળાજા તાલુકા ના પીપરલા ગામે તારીખ ૧૭/૩/૨૦૨૪ ને રવિવારે વડતાલ વાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ ના ૨૦૦ વર્ષ તેમજ વડતાલ ગાદી ના આચાર્ય શ્રી ૧૦૦૮ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ના ૭૫ માં જન્મ દિવસ ના અન્વયે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માં અમૃત મહોસવ ઉજવાય રહ્યો છે તેના ભાગ રૂપે પીપરલા ગામ તેમજ વિવિધ અલગ અલગ દેશો માં અને ૧૧૫ થી પણ વધારે ભારતમાં જુદી જુદી જગ્યાએ એકજ તારીખ અને એકજ સમયે આંતર રાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કર્યુ હતું જેમાં ભાગ રૂપે પીપરલા ગામ માં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માં સમગ્ર ગામ ના સાથ સહકાર થી આ કેમ્પમાં 151 બોટલ નું રક્તદાન કરી પીપલાના સત્સંગીઓ સહભાગી થવા હતાં રક્તદાન કરનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.