બજાણા ગામે સંતાનોને લેવા આવેલા શખ્સે સાસરીપક્ષના લોકો સાથે બોલાચાલી કરી છરી વડે સસરા તેમજ સાળા પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા યુવતીના પિતા અને ભાઇને ઇજા પહોંચી હતી જ્યારે આ મામલે યુવતીએ પતિ, દિયર અને પતિના મિત્ર સહીત ૩ શખ્સો સામે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હાલ બજાણામાં રહેતા રૂબીનાબેન જુમાભાઇ ત્રાયાના લગ્ન મોરબીમાં રહેતા જુમાભાઇ અનવરભાઇ ત્રાય સાથે થયાં હતાં. પરંતુ પતિ પત્નિ વચ્ચે બોલચાલી થતાં રૂબીનાબેન સંતાનોને લઇને બજાણા પોતાના પિતાના ઘરે રહેવા આવી ગયા હતાં. અને તેમના પિતાએ રૂબીનાબેનના પતિને સંતાનોને લઇ જવા કહેતા રૂબીનાબેનના પતિ જુમાભાઇ અનવરભાઇ ત્રાયા, તોફિકભાઇ અનવરભાઇ ત્રાયા અને અલ્લારખાભાઇ કાસમભાઇ સુમરા બજાણા ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી રૂબીનાબેનના પિતા તેમજ ભાઇ મોહમદફૈઝન પર છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી આથી ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં જ્યાંથી મોહમદફૈઝનને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રૂબીનાબેને બજાણા પોલીસ મથકે તેમના પતિ જુમાભાઇ અનવરભાઇ ત્રાયા, દિયર તોફિકભાઇ અનવરભાઇ ત્રાયા અને અલ્લારખાભાઇ કાસમભાઇ સુમરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Kejriwal News: AAP नेता Atishi ने ED से पूछे ये 5 बड़े सवाल, लगाया बड़ा आरोप | Aaj Tak
CM Kejriwal News: AAP नेता Atishi ने ED से पूछे ये 5 बड़े सवाल, लगाया बड़ा आरोप | Aaj Tak
पंजाब केसरी लाला लाजपत राय की 159वीं जयंती मनाई
स्वतंत्रता संग्राम के अग्रदूत पंजाब केसरी लाला लाजपत राय की 159 वीं जयंती पर लाला लाजपत राय जनहित...
কাজিৰঙাত RTI কৰ্মী দিলীপ নাথৰ সংবাদমেল। বন বিভাগত সংঘটিত দুৰ্নীতিৰ তথ্য প্ৰকাশ। মুখ্যমন্ত্ৰীক তদন্তৰ দাবী।
শেহতীয়াকৈ অসম বন বিভাগত সংঘটিত হৈছে বিয়াগোম কেলেংকাৰী। কাজিৰঙাত RTI কৰ্মী দিলীপ নাথৰ সংবাদমেল।RTI...
जलझूलनी एकादशी पर राजस्थान सरकार मनाएगी जल महोत्सव:प्रदेशभर में छलक चुके बांध, झील, नदियों पर होंगे सांस्कृतिक कार्यक्रम
राजस्थान सरकार इस साल प्रदेश में हुई शानदार बारिश के बाद अब जल महोत्सव मनाने जा रही है। प्रदेशभर...
সৌৰভ কলিতা আৰু সংগীবৃন্দৰ সুন্দৰ বাহী বাদন
গ্ৰাম্যাঞ্চলৰ বহুতো ঠাইত লুকাই আছে বহুতো প্ৰতিভা৷তাৰে উদাহৰণ যুৱ বাহীবাদক সৌৰভ কলিতা৷কালি নলবাৰী...