બજાણા ગામે સંતાનોને લેવા આવેલા શખ્સે સાસરીપક્ષના લોકો સાથે બોલાચાલી કરી છરી વડે સસરા તેમજ સાળા પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા યુવતીના પિતા અને ભાઇને ઇજા પહોંચી હતી જ્યારે આ મામલે યુવતીએ પતિ, દિયર અને પતિના મિત્ર સહીત ૩ શખ્સો સામે બજાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હાલ બજાણામાં રહેતા રૂબીનાબેન જુમાભાઇ ત્રાયાના લગ્ન મોરબીમાં રહેતા જુમાભાઇ અનવરભાઇ ત્રાય સાથે થયાં હતાં. પરંતુ પતિ પત્નિ વચ્ચે બોલચાલી થતાં રૂબીનાબેન સંતાનોને લઇને બજાણા પોતાના પિતાના ઘરે રહેવા આવી ગયા હતાં. અને તેમના પિતાએ રૂબીનાબેનના પતિને સંતાનોને લઇ જવા કહેતા રૂબીનાબેનના પતિ જુમાભાઇ અનવરભાઇ ત્રાયા, તોફિકભાઇ અનવરભાઇ ત્રાયા અને અલ્લારખાભાઇ કાસમભાઇ સુમરા બજાણા ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી રૂબીનાબેનના પિતા તેમજ ભાઇ મોહમદફૈઝન પર છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી આથી ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં જ્યાંથી મોહમદફૈઝનને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રૂબીનાબેને બજાણા પોલીસ મથકે તેમના પતિ જુમાભાઇ અનવરભાઇ ત્રાયા, દિયર તોફિકભાઇ અનવરભાઇ ત્રાયા અને અલ્લારખાભાઇ કાસમભાઇ સુમરા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોર ખાતે શ્રી રંગ અવધૂત મહારાજની 125 મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ 2022 | Spark Today News Vadodara
પોર ખાતે શ્રી રંગ અવધૂત મહારાજની 125 મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ 2022 | Spark Today News Vadodara
સ્વસ્તિક આર્ટ એકેડમી,પાલનપુર ના બાળ કલાકારો દ્વારા માટીમાંથી ગણપતિની મુર્તિઓનું નિર્માણ કરાયુ
સ્વસ્તિક આર્ટ એકેડમી,પાલનપુર ના બાળ કલાકારો દ્વારા માટીમાંથી ગણપતિની મુર્તિઓનું નિર્માણ કરાયુ...
Sabarmati Express Derail: क्या साजिश के तहत साबरमती एक्सप्रेस हुई डिरेल? अश्विनी वैष्णव के बयान से अटकलें; IB कर रही जांच
नई दिल्ली। यूपी के कानपुर में बीती रात एक बड़ा ट्रेन हादसा हो गया। कानपुर और भीमसेन स्टेशन...
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने आज नई दिल्ली में केन्द्रीय पुलिस प्रशिक्षण संस्थानों की समीक्षा बैठक की अध्यक्षता की
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने आज नई दिल्ली में केन्द्रीय पुलिस प्रशिक्षण...
ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં ઠેર-ઠેર દારૂ વેચાતો હોવાના મુદ્દે RTI એક્ટિવિસ્ટે CM ને રજૂઆત કરી
ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં ઠેર-ઠેર દારૂ વેચાતો હોવાના મુદ્દે RTI એક્ટિવિસ્ટે CM ને રજૂઆત કરી