થાન તાલુકાના અમરાપર ગામે બાઇક ચલાવવા બાબતે બોલાચાલી બાદ ૪ શખ્સોએ યુવાન પર લોખંડના પાઇપ તેમજ લાકડી વડે હુમલો કરવાનો બનાવ બનતા ઇજાગ્રસ્ત યુવાને ૪ વ્યક્તિઓ વિરૂધ્ધ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.થાન તાલુકાના અમરાપર ગામે રહેતા સાગરભાઇ અરજણભાઇ ધોરીયા બાઇક લઇ ગામમાં આવેલી દુકાને જઇ રહ્યાં હતા તે દરમિયાન પાણીના ટાંકા પાસે પહોંચતા સામેથી રોંગ સાઇડમાં ભરતભાઇ ઉર્ફે પવલો રાણાભાઇ ચાવડા બાઇક લઇને આવ્યા હતા .અને બાઇક ઉભુ રાખી સાગરભાઇને લાફો ઝીંકી દઇ ધક્કો મારી નીચે પાડી દીધા હતા આથી દેકારો થતાં કિશનભાઇ મશાભાઇ ચાવડા, સંજયભાઇ મશાભાઇ ચાવડા તેમજ એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા અને ચારેય શખ્સોએ સાથે મળી લોંખડના પાઇપ તેમજ લાકડી વડે માર માર્યો હતો. મારામારીના બનાવને લઇને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા તેમજ સાગરભાઇના પરિવારજનો પણ આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત સાગરભાઇને સારવાર માટે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત સાગરભાઇએ થાન પોલીસ મથકે કિશનભાઇ મશાભાઇ ચાવડા, સંજયભાઇ મશાભાઇ ચાવડા, ભરતભાઇ ઉર્ફે પવલો રાણાભાઇ ચાવડા અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજાના સરતાનપર બંદર ગામ એક યુવાને મોતને વહાલું કર્યું કોણ છે આ યુવાન?
તળાજાના સરતાનપર બંદર ગામ એક યુવાને મોતને વહાલું કર્યું કોણ છે આ યુવાન?
उक्षीतीळ कातळशिल्पासह सभोवतालची ६६०.४० चौरस मीटर जागा संरक्षित; शासनाकडून घोषणा
रत्नागिरी :उक्षी येथील कातळशिल्प राज्य संरक्षित म्हणून घोषित करण्यात आले आहे. यापूर्वी बारसू...
Tata Nexon CNG में मिलेगा AMT गियरबॉक्स, टर्बो-पेट्रोल सीएनजी तकनीक से होगी लैस
टाटा मोटर्स जल्द ही Tata Nexon के CNG वेरिएंट को लॉन्च करने की तैयारी कर रही है। Tata Nexon CNG...