સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે મોટકા કડવા પાટીદાર હનુમાનજી મંદિરના દશાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ ભાઈ રૂપાલા, નીતિન પટેલ, ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રૂપલાજીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં રામાયણ નો મહત્વપૂર્ણ ઇતિહાસ છે. ભગવાન શ્રી રામચંદ્રજીના જીવન અને શાસન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભાઈ અને રાજાની ભૂમિકામાં શ્રી રામનું આચરણ સમાંજ માટે પ્રેરણા અને આદર્શરૂપ છે. પ્રેમ અને ત્યાગની વાત કરતું રામાયણ દુનિયાના ઇતિહાસમાં અનેરુ સ્થાન ધરાવે છે.અને ગુજરાતી હોવાની ગૌરવ તેમજ આગામી પેઢીમાં ગુજરાતીના સંસ્કાર અને ગુજરાતી ભાષા ઉપર ભાર મૂકવાની વાત પણ કરી હતી આ દશાબ્દી મહોત્સવ પ્રસંગે રામચરિત માનસ કથાના આયોજન બદલ મોટકા પરિવારને અભિનંદન પાઠવતાં તેમણે ઉમેર્યું હતું કે આ પ્રસંગે મોટકા પરિવાર દ્વારા જે સૌને સાથે રાખીને સમાજમાં એકતાને ભાવના વધે એવો પ્રયાસ કરવો તેમ જ એકતા માં રહેલી તાકાતની શીખ આવનારી પેઢીને મળે તેવું આયોજન કરવામાં આવ્યું તે વિશેષ આનંદની વાત છે. તેમજ કુટુંબમાં એકતા પૂર્વક ભેગા થવું અને આવા પ્રકારના ધાર્મિક તેમજ સામાજિક આયોજનો કરવાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌ નો સાથ અને સૌના વિકાસ માટે જરૂરી એવો સૌ નો પ્રયાસ હોવાનું જણાવ્યું હતું. વર્તમાન સમયમાં સમાજમાં એકતા વધે એવા પ્રયાસો અનેક કુટુંબોએ ભેગા થઈ કરવા જોઈએ એવું પણ જણાવ્યું હતું અને ખાસ કરીને બોટકા પરિવાર દ્વારા માનપુર ગામે રામકથા ની સાથોસાથ પ્રાકૃતિક ખેતી અંગે પણ જાગૃતિ ફેલાય એવા હેતુથી રાજ્યપાલ ની અધ્યક્ષતામાં કરેલા કાર્યક્રમને પણ બિરદાવ્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કથાની આરતીનો પણ લાભ લીધો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીની સાથે પૂર્વ નાણાં મંત્રી નીતિન ભાઈ પટેલ, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દસાડા પી.કે પરમાર, જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત અનેક મહાનુભાવો પણ જોડાયા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માગરોળ ના આરેણા ગામ ના સરપંચ સહિત, ખેડુતો દ્વારા, રોષ વ્યક્ત કરી મામલતદાર ને આવેદનપત્ર પત્ર પાઠવ્યુ
માગરોળ ના આરેણા ગામ ના સરપંચ સહિત, ખેડુતો દ્વારા, રોષ વ્યક્ત કરી મામલતદાર ને આવેદનપત્ર પત્ર પાઠવ્યુ
“सेवा परमो धर्मः” ૧૫ જાન્યુઆરી “ભારતીય સેના દિવસ
“सेवा परमो धर्मः” ૧૫ જાન્યુઆરી “ભારતીય સેના દિવસ
“જય હિન્દ એટલે...
प्रमोद हत्याकांड के बाद एसपी हुए सक्त। देखें रिपोर्ट में।
जनपद जौनपुर के,प्रमोद हत्याकांड के बाद एसपी हुए सक्त।मालूम हो कि थाना सिकरारा क्षेत्र स्थित...
PORBANDAR પોરબંદર છાંયા વિસ્તારમાં જીવાભાઈ ભુતિયા દ્વારા ભગીરથ સેવાકાર્ય 12 11 2022
PORBANDAR પોરબંદર છાંયા વિસ્તારમાં જીવાભાઈ ભુતિયા દ્વારા ભગીરથ સેવાકાર્ય 12 11 2022