આબુ-પાલનપુર હાઇવે ઉપર લક્ષ્મીપુરા ઈકબાલગઢ વચ્ચે એક રાહદારીને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. વાહન ચાલક અકસ્માત સર્જી ત્યાંથી વાહન લઈ નાસી છૂટ્યો હતો. રાહદારીનું ગંભીર ઈજાઓથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાત્રિ દરમિયાન નેશનલ હાઇવે પર અમીરગઢના લક્ષ્મીપુરા ઈકબાલગઢ વચ્ચે એક શખ્સ રસ્તો ઓળંગી રહ્યો હતો જે સમયે રાજસ્થાન તરફથી પૂરપાટે આવેલા વાહને શખ્સને ટક્કર મારી હતી જેથી શખ્સ રોડ ઉપર પટકાવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે શખ્સનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ વાહન ચાલક ત્યાંથી વાહન લઈને નાસી છૂટ્યો હતો બનાવની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોલીસે અમીરગઢ પી.એમ. અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.