ગોધરા : ધાણીત્રા ગામે નેચર ફાઉન્ડેશનના શહેબાઝ શેખ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરાયું.

ગોધરા તાલુકાના ધાણીત્રા ગામમાં મોડી રાત્રીએ એક મકાનમાં અજગરે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ગ્રામજનો દ્વારા નેચર ફાઉન્ડેશનના શહેબાઝ શેખને જાણ કરવામાં આવતા જ શહેબાઝ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવીને છ ફૂટ જેટલા લાંબા અજગરનું રેસ્ક્યુ કરીને સલામત રીતે જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. ધાણીત્રા ગામમાંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવતા ગ્રામજનોએ નેચર ફાઉન્ડેશનના શહેબાઝ શેખ તેમજ જયમાતાજી ફાઉન્ડેશનના ભાવિનભાઈ અને દેવભાઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.