આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સવારનાં 9 કલાકે સિહોર ખાતે વિરાટ તિરંગા યાત્રા આયોજીત કરવામાં આવી છે. ક્રિકેટ ગ્રાઉન્ડ શરૂ થનાર યાત્રામાં પાંચ હજારથી વધુ જનમેદની ઉમટી પડનાર છે. આ અંગેની તમામ તૈયારીઓનો આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. સવારે 9 કલાકે ક્રિકેટ શ્રાઉન્ડથી આ યાત્રાનું પ્રસ્‍થાન કરાવશે. યાત્રામાં અધિકારી પદાઅધિકારી વિવિધ સરકારી કચેરીઓનાં અધિકારીઓ, કર્મચારીઓ, ઉપરાંત વિવિધ પાર્ટીઓનાં હોદેદારો, કાર્યકરો, તેમજ વિવિધ સામાજિક, શેક્ષણિક, ધાર્મિક સંસ્થાઓનાં સભ્યો, શહેરનાં નાગરિકો તેમજ શાળા કોલેજોનાં વિધાર્થીઓ તિરંગાયાત્રામાં જોડાશે. આ તિરંગા યાત્રામાં જોડાનાર તમામ નાગરિકો જમણા હાથમાં તિરંગો લઇને ચાલશે યાત્રાના માર્ગ પર રાષ્ભક્તિને દર્શાવતા ફલોટ ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. આ યાત્રાની આગળ મ્યુઝીક બેન્ડ જોડાશે.યાત્રાની આગળ ઘોડેસવાર પોલીસ રહેશે. તિરંગા યાત્રાને લઇને શહેરમાં દેશભક્તિનો માહોલ રચાવા લાગેલ છે.