દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓ દ્વારા ટ્રાફિક વિશે જાગૃતિ લાવવા નવતર પ્રયોગ. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) હાલમાં ચાલી રહેલ માર્ગ સલામતી માસની ઉજવણી અન્વયે ઠક્કરબાપા સ્વનિર્ભર સ્કૂલ તથા સ્વનિર્ભર માધ્યમિક શાળા, એન. ઈ. જીરુવાલા પ્રાથમિક શાળા અને છોટાલાલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મળી કુલ ૧૨૦૦ થી વધુ બાળકો દ્વારા ટ્રાફિક નિયમ પાલન કરવા માટે તેઓના માતા પિતા ને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. જેમાં બાળકો દ્વારા એક સંવેદનશીલ મેસેજ સાથે ટ્રાફિક નિયમ પાલન કરવા વિનંતી કરવામાં આવી.