રાજ્યમાં ફરી મોતિયાના ઓપરેશન બાદ અંધાપો...

રાજ્યમાં માંડલ બાદ ફરી એકવાર અંધાપાકાંડની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલી સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આવ્યો છે. જેનાથી 7 અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળી છે કે સર્વોદય હોસ્પિટલમાં 13 દર્દીના ઓપરેશન બાદ 5 દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ છે.