દસાડા તાલુકાના વણોદ ગામ પાસે આવેલા જીવદયા આશ્રમમાં રહેતા પરિવારને અગાઉ કરેલી ફરિયાદ બાબતનું મનદુઃખ રાખી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની દસાડા પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વણોદ ગામ પાસે આવેલા જીવદયા આશ્રમમાં રહેતા અને ગૌશાળામાં સેવા કરતા ફરિયાદી નરેશભાઈ ધુડાભાઈ ભટ્ટ કામ અર્થે શંખેશ્વર ગયા હતા. જે દરમિયાન આશ્રમમાં પત્ની અને દીકરાઓ એકલાં હતાં. ત્યારે વણોદ ગામમાં રહેતો અરબાજ ઉર્ફે ડીકો મકબુલભાઈ અને તેના માસીનો દિકરો રફીકભાઈ રહિમભાઈ સુમરા (રહે.જૈનાબાદ)એ છરી સાથે આવી ફરિયાદીના પત્ની અને પરિવારજનોને અપશબ્દો બોલી અગાઉ કરેલી ફરિયાદ બાબતે સમાધાન કરવાનું અને વળતર આપવાનું જણાવ્યું હતું. તેમજ આશ્રમ છોડી નહિ જાય તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.તેમજ બન્ને શખ્સોએ ફરિયાદીને પણ ફોન કરી અગાઉ કરેલા કેસ બાબતે સમાધાન કરવાનું જણાવી વળતર આપવાની માંગ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદીએ દસાડા પોલીસ મથકે બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટી છેલ્લા બે વર્ષથી ફરાર કાચા કામના કેદી જામનગરના નરેશભાઈ ત્રિવેદી ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા આપેલ સુચના મુજબ અમરેલી...
अधिकाधिक आवेदन करवाकर नंदीशाला योजना में लाएं प्रगति – जिला कलक्टर
अधिकाधिक आवेदन करवाकर नंदीशाला योजना में लाएं प्रगति – जिला कलक्टर ...
પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિનો ખાદી પ્રત્યેનો અનેરો પ્રેમ
પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા ખાદી પ્રત્યે અનેરો પ્રેમ ધરાવે છે હર વર્ષની જેમ આ...
બનાસકાંઠા પોલીસ દ્વારા સરહદી પંથકમાં કરોડોના દારૂનો નાશ
બનાસકાંઠા પોલીસ દ્વારા સરહદી પંથકમાં કરોડોના દારૂનો નાશ