ચોટીલા-અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે પશુઓને વાહનમાં ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીના આધારે ગૌપ્રેમીઓ હરેશભાઈ ચૌહાણ, વિપુલભાઈ સાકરીયા, હરેશભાઈ સીંધવ સહિતનાઓએ હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમ્યાન ચોટીલા-અમદાવાદ હાઈવે પર કનૈયા ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં આઈશર પર પસાર થતાં તેને રોકી તલાસી લેતા આઈશરમાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર દોરડા તેમજ ઘાસચારો અને પાણીની સગવડતા વગર ક્રુરતાપૂર્વક બાંધેલ ૮ ભેંસ કિંમત રૂા.૧,૨૦,૦૦૦, પાડો-૧ કિંમત રૂા.૧૦,૦૦૦ અને મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂા.૧૦,૦૦૦ તેમજ આઈશર કિંમત રૂા.૩ લાખ મળી કુલ રૂા.૪.૪૦ લાખના મુદ્દામાલ સાથે આઈશરચલાક દિલિપસીંગ દાડમસીંગ સોલંકી રહે.વાંકાનેર અને ક્લીનર બાબુભાઈ દિલીપભાઈ પરમાર રહે.વાંકાનેરવાળાને ઝડપી પાડયાં હતાં. જ્યારે બન્નેની વધુ પુછપરછ કરતા આઈશરમાં ભરેલ ભેંસો અસરફભાઈ યાકુબભાઈ રહે.વાંકાનેરવાળો આપી ગયો હોવાની કબુલાત કરી હતી અને પશુઓને મહારાષ્ટ્ર તરફ કતલખાને લઈ જતા હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડયા હતાં જ્યારે પશુઓને પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'क्या आपने अपने बजट भाषणों में सभी राज्यों का नाम लिया था', खरगे के आरोपों पर भड़कीं निर्मला सीतारमण
संसद के मानसून सत्र के दौरान विपक्षी दलों ने केंद्र सरकार के खिलाफ मोर्चा खोल दिया है। आईएनडीआईए...
સુરતના તાપી કિનારે અસ્તિત્વ ધરાવે છે મહાભારત કાળનો ત્રણ પાનનો વડ
સુર્યપુત્રી તાપી નદીના કિનારે પાંચ હજાર...
આણંદ પાસે ચાલું ટ્રેનમાંથી મુસાફરની બેગ ચોરાઇ
આણંદ રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાં હરિયાણાના ફરીદાબાદના વિવેકકુમાર અશોકકુમાર અગ્રવાલ...
ડભોઇ : વહેલી તકે તંત્ર દ્વારા ડ્રેનેજની સમસ્યા દૂર કરે તેવી લોક માંગ | SatyaNirbhay News Channel
ડભોઇ : વહેલી તકે તંત્ર દ્વારા ડ્રેનેજની સમસ્યા દૂર કરે તેવી લોક માંગ | SatyaNirbhay News Channel