ચોટીલા-અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે પશુઓને વાહનમાં ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીના આધારે ગૌપ્રેમીઓ હરેશભાઈ ચૌહાણ, વિપુલભાઈ સાકરીયા, હરેશભાઈ સીંધવ સહિતનાઓએ હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમ્યાન ચોટીલા-અમદાવાદ હાઈવે પર કનૈયા ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ હાલતમાં આઈશર પર પસાર થતાં તેને રોકી તલાસી લેતા આઈશરમાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર દોરડા તેમજ ઘાસચારો અને પાણીની સગવડતા વગર ક્રુરતાપૂર્વક બાંધેલ ૮ ભેંસ કિંમત રૂા.૧,૨૦,૦૦૦, પાડો-૧ કિંમત રૂા.૧૦,૦૦૦ અને મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂા.૧૦,૦૦૦ તેમજ આઈશર કિંમત રૂા.૩ લાખ મળી કુલ રૂા.૪.૪૦ લાખના મુદ્દામાલ સાથે આઈશરચલાક દિલિપસીંગ દાડમસીંગ સોલંકી રહે.વાંકાનેર અને ક્લીનર બાબુભાઈ દિલીપભાઈ પરમાર રહે.વાંકાનેરવાળાને ઝડપી પાડયાં હતાં. જ્યારે બન્નેની વધુ પુછપરછ કરતા આઈશરમાં ભરેલ ભેંસો અસરફભાઈ યાકુબભાઈ રહે.વાંકાનેરવાળો આપી ગયો હોવાની કબુલાત કરી હતી અને પશુઓને મહારાષ્ટ્ર તરફ કતલખાને લઈ જતા હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડયા હતાં જ્યારે પશુઓને પાંજરાપોળ મોકલવાની તજવીજ હાથધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सांस्कृतिक कार्यक्रमों के साथ 48 दिवसीय भक्तामर अनुष्ठान में उमड़े श्रद्धालु
श्री शांतिनाथ दिगम्बर जैन अग्रवाल मंदिर में सकल दिगम्बर जैन समाज के तत्वावधान में आयोजित 48...
અમદાવાદ મંડળ પર મહાપરિનિર્વાણ દિવસે ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૭મા મહાપરિનિર્વાણ દિવસ ૦૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પશ્ચિમ રેલવેના...
કાંકરેજના થરામાં બાઈક ચોરીનો CCTV આવ્યો સામે..
કાંકરેજના થરામાં બાઈક ચોરીનો CCTV આવ્યો સામે..
રોશની થી ઝગમગી ઉઠ્યું
બોટાદમાં 74મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાના ઉજવણીનો ઝગમગાટ; જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં...
રાજ્યભરમાં આંગણવાડી બહેનો દ્વારા સમાનકામ સમાનવેતન મુદ્દે ધરણા પ્રદર્શન કરીને સરકાર સામે રોષ ઠાલવ્યો
રાજ્યભરમાં આંગણવાડી બહેનો દ્વારા સમાનકામ સમાનવેતન મુદ્દે ધરણા પ્રદર્શન કરીને સરકાર સામે રોષ ઠાલવ્યો