ચોટીલા તાલુકાના ડાકવડલા ગામે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી એક શખ્સને છરી તેમજ લાકડાના ધોકા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડયાની નાની મોલડી પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડાકવડલા ગામે રહેતા ફરિયાદી ધુધાભાઈ મોતીભાઈ ગીગૈયા બાઈક લઈને ગામમાં આવેલા રામજી મંદિરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામમાં જ રહેતો રવિભાઈ બાબભાઈ વિકમા પોતાના ઘર બહાર બેઠો હતો અને ફરિયાદીને અહીંથી નહીં નીકળવાનું જણાવી કાંઠલો પકડયો હતો. તે દરમિયાન દિલીપભાઈ બાબભાઈ વિકમા એન બાબભાઈ નાથાભાઈ વિકમા પણ આવી પહોંચતા ફરિયાદીને છરી વડે એક ઘા ઝીંક્યો હતો. તેમજ હાથ પર લાકડાનો ધોકો માર્યો હતો અને વધુ માર મારી અપશબ્દો બોલી નાસી છુટયા હતા. ઈજાગ્રસ્તને સારવાર અર્થે કુવાડવા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે રવિભાઈ વિકમા, દિલીપભાઈ વિકમા અને બાબભાઈ વિકમા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં ગામમાં રહેતા બાબુભાઈ ટપુભાઈ ગીડાને બાબભાઈ નાથાભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બાબુભાઈ ફરિયાદી સાથે બેઠા હતા તે બાબતનો વહેમ રાખી હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં વસ્ત્રાલ રીંગ રોડ પાસે આવેલ સોસાયટીમાં બૂટલેગરો વાહનોમાં તોડફોડ નુકસાન કર્યાનો વિડિયો
અમદાવાદમાં વસ્ત્રાલ રીંગ રોડ પાસે આવેલ સોસાયટીમાં બૂટલેગરો વાહનોમાં તોડફોડ નુકસાન કર્યાનો વિડિયો
નાની વાત પર ભારત છોડીને આ દેશમાં સ્થાયી થવા માંગે છે અક્ષય કુમાર
સુપરસ્ટાર અક્ષય કુમાર તેની ફિલ્મ પસંદગી માટે ખાસ પ્રખ્યાત છે. જો કે અભિનેતાએ તેની કારકિર્દીમાં...
પાવીજેતપુર પંથકમાં વાવાઝોડા સાથે મેઘાની થયેલી પધરામણી
પાવીજેતપુર પંથકમાં વાવાઝોડા સાથે મેઘાની થયેલી પધરામણી
...
નિરમા ચેકપોસ્ટ પાસે ટ્રક દ્રાઈવર ને માર કેટલાક ઈસમોએ માર માર્યો.
નિરમા ચેકપોસ્ટ પાસે ટ્રક દ્રાઈવર ને માર કેટલાક ઈસમોએ માર માર્યો.
আজিৰে পৰা আৰম্ভ বীৰ লাচিত সেনা মাজুলী জিলা সমিতিৰ সদস্য ভৰ্তি অভিযান
আজিৰে পৰা আৰম্ভ কৰা হয় বীৰ লাচিত সেনা মাজুলী জিলা সমিতিৰ সদস্য ভৰ্তি অভিযান