પેટલાદ તાલુકાના મહેળાવ ગામે સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે યુગપુરુષ નગર બનાવવામાં આવ્યું છે. વટાવ ગામે આવેલી પ્રાથમિક શાળાના બાળકોએ મંગળવારના રોજ યુગપુરુષ નગરની મુલાકાત લીધી હતી અને વિવિધ પ્રદર્શન નિહાળ્યું હતું. આ સમયે શાળાના આચાર્ય નિલેશભાઈ સાથે શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને તમામ પ્રદર્શન અંગે માહિતગાર કર્યા હતા. મહેળાવ ગામે રજત જયંતિ મહોત્સવને લઈને હાલ ઉજવણી ચાલી રહી છે.