ભારત દેશના રાષ્ટ્રીય મહાપર્વ નિમિતે પી.જી.વી.સી.એલ. તથા જેટકો પરીવાર દ્વારા રક્તદાન કેમ્પ

   26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલાના પીજીવીસીએલ તેમજ જેટકો સ્ટાફગણના તન મન ધન સહયોગથી સતત ૪થા વર્ષે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું જેમાં ૮૨ બોટલનું મહામુલું રક્તદાન કરી સમગ્ર કાર્યક્રમને ઉજળો બનાવવામાં આવેલ 

    એ બદલ તમામ રક્તદાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા એક મહિનાથી સફળ આયોજનમાં દોડાદોડી કરનાર કાર્યકર્તાઓનો, સાવરકુંડલા શહેર, ગ્રામ્ય, વિભાગીય કચેરી, જેટકોના તમામ અધિકારી, સ્ટાફ, કોન્ટ્રાક્ટર, મિત્રો તથા નામીઅનામી જેને પણ તન મન ધનથી સહયોગ આપ્યો તે તમામનો આ તકે સમગ્ર પીજીવીસીએલ અને જેટકો ટીમ વતી ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

 રિપોર્ટ દિલીપ વાઘેલા