અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિજપડી ગામમાં ભવ્ય શોભાયાત્રા 

   અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા રામજી મંદિર ખાતે થી નવા મંદિરનાં (નિર્માણ) રાજુલા રોડ સુધી.

   વિશેષઃ વિજપડી ગામમાં નવા રામજી મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. 

   આ ભુમિ પૂજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદી રૂપે તમામ ઉપસ્થિત લોકોને મોં મીઠું કરાવ્યું હતું. 

 અને જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા જેમ દિવાળીના દિવસે ફટાકડા ફોડે તેવી જ રીતે ફટાકડા ફોડી ઉત્સાહ અને ધામધૂમથી સૌ ગ્રામજનોએ વધાવી લીધું હતું  

  ગામમાં બુંદી, ગાંઠિયા પ્રસાદી રૂપે તમામ રસ્તે ચાલતા રાહદારીઓ આપવામાં આવેલ 

રિપોર્ટ દિલીપ વાઘેલા