વિકસિત ભારત @2047 અને મિલેટ અવેરનેસ ની થીમ પર આધારિત સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ ની સાત દિવસની શિબિર ધોળાકુવા પ્રાથમિક શાળા ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુ. કામિનીબેન ગોપાલસિંહ સોલંકીની અધ્યક્ષતામાં શાળા ખાતે શુભારંભ થયો છે. આ પ્રસંગે ઉપસ્થિત કામિનીબેને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરવાનું છે, આગામી સમય એ યુવાનોનો છે ત્યારે ચારિત્ર્યવાન વિદ્યાર્થી શ્રેષ્ઠ ભારતનું સર્જન કરી શકે છે, વધુમાં તેઓએ આપણી પરંપરા અનુસાર જાડા ધાન્ય કે જે મિલેટ તરીકે ઓળખાય છે જે અંગે વિદ્યાર્થીઓએ ગામના લોકોને જાગૃત કરી મિલેટનું ઉત્પાદન થાય તેવા પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે તારીખ 22 ના રોજ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે પણ વિદ્યાર્થીઓને શાનદાર ઉજવણી કરી ઘરે રોશની કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી એ ઉપસ્થિત તમામનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ લીડર કુ. નીશિ શાહ તથા આભારી વિધિ કુ. માનસી ખરાદીએ કરી હતી આ કેમ્પમાં એનએસએસના 50 વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રીમતી પુષ્પાબેન પટેલ તથા સ્ટાફે સુંદર સહકાર પૂરો પાડ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गुरु पूर्णिमा के उपलक्ष्य में शिवानंद कुटी में हनुमान चालीसा का हुआ पाठ।
पन्ना। गुरु पूर्णिमा के उपलक्ष्य में शिवानंद कुटी में हनुमान चालीसा का हुआ पाठ।
...
તુર્કીમાં બે કાર સામસામે ટકરાતાં 4 બનાસકાંઠાના વ્યક્તિઓના મોત
તુર્કીમાં એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલાં...
લુણાવાડામાં છેલ્લી ઘડીના પ્રચારના દિવસે લાગ્યા પોસ્ટરો, ભાજપનો ખુલ્લેઆમ વિરોધ કરતા લાગ્યા બેનરો
મહીસાગરના લુણાવાડામાં છેલ્લી ઘડીના પ્રચારના દિવસે પોસ્ટરો લાગ્યા છે. આ પોસ્ટરોમાં ભાજપનો ખુલ્લેઆમ...
फ्लाइट में एक प्रेमी जोड़े के बीच मोबाइल में चल रही चैटिंग की वजह से इंडिगो के विमान को उड़ान भरने में छह घंटे देरी हो गई.
कर्नाटक के मेंगलुरु से मुंबई जाने वाले विमान को उड़ान भरने में उस समय छह घंटे की देरी हुई, जब एक...