પાલનપુરના સિનિયર વકીલને લેન્ડ ગ્રેબિંગના આરોપીઓએ ઓફિસરમાં આવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તેમણે ચાર શખ્સો સામે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર વૃંદાવન સોસાયટીમાં રહેતા વકીલ ગિરીશકુમાર રઘુરામ ત્રિવેદી (ઉ.વ. 73) શહેરના પંચરત્નમાં આવેલી તેમની ઓફિસે હતા. ત્યારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના આરોપીઓ દાંતીવાડા તાલુકાના જોરાપુરા ભાડલીનો પોપટજી ખેમાજી માળી, ભાવેશજી પોપટજી માળી તેમજ રાધનપુરનો મહેશ રબારી સહિત એક અજાણ્યો શખ્સ ઓફસમાં આવ્યા હતા.

જેમને કોર્ટમાં આવવાનું કહેતા ઉશ્કેરાઇ જઇ તમારે ખેતરમાં પગ મુકવો નહી નહીંતર પાછા નહી જાઓ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે વકીલે ચારેય સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.