માલદિવ્સમાં ચીન તરફી વલણ ધરાવતી મોહમ્મદ મુઈઝુ સરકારના મંત્રીઓના ભારત અને પીએમ મોદી વિરોધી નિવેદનોના કારણે ભારતીયોએ બોયકોટ માલદિવ્સ અભિયાન ચલાવ્યું છે, જેનાથી પ્રવાસન પર આધારિત દેશને ભારતના બહિષ્કારથી મોટો ફટકો પડવાની સંભાવના છે. ત્યારે માલદિવ્સ ફરવા જતા ભારતીયોએ 10 હજાર હોટેલ બુકિંગ અને 5 હજાર ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરાવી માલદિવ્સને મોટો ઝટકો આપ્યો છે.