વન વિભાગ, ગાંધીનગર દ્વારા કોલવડા ગામ નજીક નિર્માણ કરવામાં આવેલા ’વન કવચ’ નું લોકાર્પણ આજરોજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું.વન કવચમાં અરણ્યદેવીની મૂર્તિ મૂકવામાં આવી છે. આજે ગાંધીનગરના કોલવડા ખાતે ડમ્પિંગ સાઇડ હતી. તે જગ્યાએ નિર્માણ કરવામાં આવેલ દેશની સૌથી મોટી વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વન કવચનું નિર્માણ ૭ એકર જમીનમાં કરવામાં આવ્યું છે. ૧૦૫ જાતિના વૃક્ષોનું વાવેતર ચાર મહિનાના ટુંકા ગાળામાં કરવામાં આવ્યું છે. મોટા વૃક્ષો થઇ ગયા છે. ગુજરાતમાં ૮૫ જેટલા વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ વન કવચમાં ૫૦ હજાર જેટલા ૧૦૫ જાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ઉચ્ચ કક્ષાના ૮, મધ્યમ કક્ષાના ૨૭, નિમ્ન કક્ષાની ૪૪ અને આયુર્વેદિક ૨૬ વૃક્ષોની જાતોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વન કવચમાં ૩ વન કુટિર, ધ્યાનકર્ષિત વનદેવીની મૂર્તિ અને આકર્ષક ગેટ બનાવવામાં આવ્યો છે. તેની સાથે બે હજાર રનીંગ મીટરનો વોકીંગ પથ પણ બનાવવામાં આવ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર તાલુકાની કરાલી પોલીસે ઇકો ગાડીના સી.અને.જી. ગેસના બોટલમાં ચોરખાનું બનાવી લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ખેપિયા ને પકડી પાડયો
પાવીજેતપુર તાલુકાની કરાલી પોલીસે ઇકો ગાડીના ગેસના બોટલમાં ચોરખાનું બનાવી લઈ જવાતા વિદેશી દારૂના...
તાંત્રિકોની ટોળકીએ 500 કરોડનો ઢગલો બતાવાની માયાજાળમાં લાખો પડાવ્યા
માયાજાળમાં ફસાવીને 15 લાખની છેતરપિંડી આચરી આશ્રમના પૈસા પછી આપીશ તેમ કહી અદ્રશ્ય થઈ ગયા સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસને લેખિતમાં અરજી કરી
ગીર સોમનાથ જિલ્લાની તાંત્રિકોની ટોળકીએ પૈસાની જરૂરીયાત વાળા લોકોને પૈસાનો ઢગલો કરાવી દેવાની...
Shwet Patra: Ashok Gehlot-Sachin Pilot में क्या अब सब ठीक है? | Rajasthan Election 2023 | Congress
Shwet Patra: Ashok Gehlot-Sachin Pilot में क्या अब सब ठीक है? | Rajasthan Election 2023 | Congress
মৰাণ পিয়লি নগৰত শ্ৰী শ্ৰী সাৰ্বজনীক গণেশ পূজা
মৰাণ পিয়লি নগৰত শ্ৰী শ্ৰী সাৰ্বজনীক গণেশ পূজা