ચોટીલા-આણંદપુર રોડ પર પીઆવા ગામ પાસે પીકઅપ વાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર મહિલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે ચોટીલા પોલીસ મથકે પીકઅપના ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી.ચોટીલામાં રહેતા હીરાભાઈ ભીખાભાઈ ખટાણાના નાનાભાઈ રત્નાભાઈ અને તેમના પત્ની રાધીબેન બાઈક પર જઈ રહ્યાં હતાં. તે દરમિયાન પીઆવા ગામના પાટિયા પાસે પીકઅપ વાનના ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈકચાલક સહિત પત્ની નીચે પટકાયા હતા.જેમાં બાઈકચાલક રત્નાભાઈને હાથે અને મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે પત્ની રાધીબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীত অনুষ্ঠিত হব 'অংকীয়া ভাওঁনা সমাৰোহ
মাজুলীত অংকীয়া ভাওনা সমাৰোহৰ আয়োজন
মাজুলীৰ শ্ৰী শ্ৰী চামগুৰি সত্ৰ আৰু হৰিদাস বনিয়া আতৈ...
Dawood Ibrahim इससे पहले कितनी बार ख़बरों में मर चुका? Covid-19 में ये बात आई थी सामने
Dawood Ibrahim इससे पहले कितनी बार ख़बरों में मर चुका? Covid-19 में ये बात आई थी सामने
ભારતીય જનતા પાર્ટી તથા સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું
ભારતીય જનતા પાર્ટી તથા સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બોખીરા સ્થિત કાર્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડનું...
Mozambique Issue Impact On Toor Dal | क्यों और बिगड़ती नजर आ रहे है हालात? | Toor Import News
Mozambique Issue Impact On Toor Dal | क्यों और बिगड़ती नजर आ रहे है हालात? | Toor Import News
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં મહિલા મંડળ દ્રારા ગણપતિ ઉત્સવ સાથે ગાયોની અનોખી સેવા
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં મહિલા મંડળ દ્રારા ગણપતિ ઉત્સવ સાથે ગાયોની અનોખી સેવા