ગુજરાત જનસેવા સંસ્થાન નામનું વોટ્સએપ ગ્રુપ તા.10-03-2018ના રોજ નરેન્દ્રભાઇ પ્રજાપતિ દ્વારા બનાવવામાં આવ્યુ હતુ. તેમાં ગ્રુપ એડમિને છ એક માસ પહેલા રતનપરના ગાંધીનગર સોસાયટીમાં રહેતા નિરવસિંહ દિલુભા પરમાર અને સંજીવની સોસાયટીમાં રહેતા વિનોદભાઇ ગંગારામભાઇ ખાંદલાને ગુજરાત જનસેવા સંસ્થાન નામના વોટ્સએપ ગ્રુપમાં નરેન્દ્રભાઇ પ્રજાપતિ નામના ગ્રુપ એડમિને એક વ્યક્તિને એડ કર્યા હતા. જે અવારનવાર હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ કરતો હતો .તા.31-10-2023ના રોજ શ્રીરામ વિરુદ્ધ ટિપ્પણી કરતા પોસ્ટનો સ્ક્રીનશોટ લઇને જોરાવરનગર પોલીસ દ્વારા આઇપીસીની કલમ 295એ મુજબ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.