પેટલાદ શહેરના સ્ટેશન રોડ ઉપર બેસી ગયેલા ગટરના ઢાંકણા અને આસપાસના બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દિવસ દરમિયાન સંખ્યાબંધ વાહનો આ રસ્તા ઉપર થી અવરજવર કરે છે ત્યારે બિસ્માર રસ્તાને કારણે વાહનચાલકોમાં અકસ્માતનો ભય રહેલો છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે રીપેરીંગ કામ કરવામાં આવે તે જરૂરી છે.