દામનગરમાં સત્તાધિશોની બેદરકારીને કારણે વાલ્વ લીક થવાથી પાણીની રેલમછેલ... ઉનાળાના દિવસોમાં પાણીની કિંમત એટલેકે મૂલ્ય કેટલું હોય છે તે સારી રીતે સમજી શકાતું હોય છે. જ્યારે અહીંયા ડ વર્ગ ધરાવતી દામનગર નગરપાલિકા વિસ્તારના સરદાર સર્કલ નજીક ઝાપાના મેલડી માનાં મંદિર સામે છેલ્લા ઘણા દિવસોથી લીક થયેલ વાલ્વ ને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. દામનગર શહેરનો આ હાર્દ સમો વિસ્તાર હોય સત્તાધીશો ના લોકો અહીંથી પસાર થાય છે તો શું આવી રીતે પાણીનો વેડફાટ થાય એમાં રસ હોય છે..!!? પાણીને બચાવવાની મોટી - મોટી જાહેરાતો થાય છે. જળ એજ જીવન ના મોટા - મોટા નારા લગાવાય છે....દામનગર શહેરમાં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં શાસકો સક્રિય થાઓ...