વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતા યુવાનને મોબાઇલમાં મેસેજ કરવાના વહેમ બાબતે ચાર શખ્સોએ ઝઘડો કરી માર મારતા ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. આ મામલે એક મહિલા સહીત કુલ ૪ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ખોડુ ગામે રહેતા કેતનભાઇ લાભુભાઇ મકવાણા પોતાના ઘર પાસે ઉભા હતા, તે દરમિયાન ખોડુ ગામના જ મુનાભાઇ ભીખાભાઇ મકવાણા ત્યાં ધસી આવ્યા હતા અને તું બહુ માથાભારે થઇ ગયો છે, ચાલ વિજય તારી રાહ જોવે છે તેમ કહી નજીકમાં આવેલી દુકાને લઇ ગયા હતા.જ્યાં પહોંચતા જ વિજયભાઇ પ્રવિણભાઇ મકવાણા લાકડી લઇને ધસી આવ્યા હતા અને કેતનભાઇ ઉપર લાકડીથી હુમલો કર્યો હતો. તેમજ પ્રવિણભાઇ પુજાભાઇ મકવાણા, મુનાભાઇ ભીખાભાઇ મકવાણા અને હંસાબેન પ્રવિણભાઇ મકવાણા પણ ગડદા પાટુનો માર મારવા લાગ્યાં હતાં.મારામારી થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને કેતનભાઇને વધુ મારથી બચાવ્યા હતા પરંતુ કેતનભાઇને ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. આ અંગે વિજયભાઇ પ્રવિણભાઇ મકવાણા, પ્રવિણભાઇ પુજાભાઇ મકવાણા, મુનાભાઇ ભીખાભાઇ મકવાણા અને હંસાબેન પ્રવિણભાઇ મકવાણા વિરૂદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કુંડીઆંબા ગામે ખેડવા માટે આપેલી જમીન પરત નહિ આપતા લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાયો
કુંડીઆંબા ગામે ખેડવા માટે આપેલી જમીન પરત નહિ આપતા લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાઇ
મળતી માહિતી...
દેવગઢબારિયા વિધાનસભા ની ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું
દેવગઢબારિયા વિધાનસભા ની ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું
এই দৃশ্য যোৰাবাটৰ ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ।পথ নহয় যেন এখন বৃহৎ নদীহে।#thevoiceofchariduar #assamflood
এই দৃশ্য যোৰাবাটৰ ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ।পথ নহয় যেন এখন বৃহৎ নদীহে।#thevoiceofchariduar #assamflood
જસદણ માધવિપુર ગામમાં મારામારી ના બનાવમાં 12 લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય
જસદણ માધવિપુર ગામમાં મારામારી ના બનાવમાં 12 લોકો વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય (1)...
2000 रुपये का नोट बदलने के लिए किसी दस्तावेज की जरूरत नहीं, SBI ने जारी किया नोटिस
नई दिल्ली, हाल ही में चलन से वापस लिए गए 2,000 रुपये के अधिकतम 10 नोटों (कुल 20,000 रुपये)...