સુરેન્દ્રનગર જિલ્લા ધ્રાંગધ્રા, રાજસીતાપુર પંથકમા વીજચોરી અંગેની ફરીયાદોને લઈને સુરેન્દ્રનગરની વિજીલન્સની 36 ટીમો, પોલીસ એક્સ આર્મીમેન અને વીજકંપનીના અધીકારીઓ સાથે ધ્રાંગધ્રા શહેર તથા રાજસીતાપુર ગ્રામ્ય વીસ્તારમા વહેલી સવારથી વીજ ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવતા ધરવપરાશ, કોમર્સીયલ, ખેતી અને ઈન્ડટ્રીયલના કુલ 468 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા.ત્યારે 71 કનેશનમા વીજચોરી જણાતા 25 લાખ રૂપીયાનુ બીલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમા ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે વહેલી સવારથી ચેકીંગ કામગીરી હાથ ધરવામા આવતા અનેક લોકો ઝપટે ચડી ગયા હતા. ત્યારે આ અંગેની કામગીરી મુખ્ય ઈજનેર એચ.કે.વાધેલા, કાર્યપાલક ઈજનેર જે.બી.ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે વીજ ચેકીગ દરમ્યાન વીજકનેશનમા વીજચોરી જણાતા રૂ. 25 લાખના બીલ ફટકારવામાં આવ્યા હતા. આમા તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે કડકમા કડક કાર્યવાહી કરવામા આવશે.