વઢવાણ તાલુકાના વસ્તડી ગામના હકાભાઇ પોપટભાઇ પરાલીયાએ જોરાવરનગર પોલીસ સ્ટેશને વાડીના શેઢા આગળ વીજ થાંભલો નાંખવા મામલે મારામારીની ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ વસ્તડી ગામનીસીમમા ડભોડીયા માર્ગે તેમની જમીન આવેલી છે. તે વાડીની બાજુમાં ઘનશ્યામસિંહ ગોહિલની વાડી પણ છે. બન્નેની વાડી વચ્ચે લાઇટનુ ટીસી આવેલુ છે તા.4-12એ તેઓ અને તેમના પત્ની મરઘાબેન અને ભાઇ ઘનશ્યામ સાથે વાડીએ હોવા દરમિયાન ઘનશ્યામસિંહ અને તેમનો દીકરો હરપાલભાઇ આવી આ થાંભલો અમારા ખેતરમાં કેમ ખોડો છો.આથી આ થાંભલો શેઢા ઉપર જ છે તેમ કહેતા બોલાચાલી કરવા લાગ્યા અને ઝઘડો કરવાની ના પાડતા લોખંડના પાઇપથી હુમલો કરતા માર મારી થાંભલો ખોડવાની ના પાડશો તો મારી નાંખવાની ધમકી આપી હતી.વસ્તડીના ઘનશ્યામસિંહ ઉર્ફે કાળુભાઇ સુરસંગભાઇ ગોહિલ અને હરપાલસિંહ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ પી.બી.રમલાવત ચલાવી રહ્યા છે.