બોટાદના લાઠીદમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે સુરત ગયો હતો. બંધ મકાનને સુરેન્દ્રનગર જિલ્લાના 4 તસ્કરોએ નિશાન બનાવી રૂ.47 હજારની ચોરી હતી. મકાનમાં ઘૂસેલા બે તસ્કરોને પકડવાની કોશિષ દરમિયાન એક તસ્કરે ધાબા પર જઇ લોકો પર ગીલોલ વડે હુમલો કર્યો હતો. જેમાં 5 વ્યક્તિને ઇજા પહોંચી અને એક કારનો કાચ ફૂટી ગયો હતો. મકાનની બહાર ઉભેલા બંને તસ્કરો ફરાર થયા હતા. બોટાદના લાઠીદડમાં રહેતા રાજેશભાઈ ભીમજીભાઈ કોડિયાતેમના ભાગીદારના દીકરાના લગ્ન પ્રસંગે પરિવાર સાથે મકાન બંધ કરી સુરત જવા નીકળ્યા હતા અને મોડી રાત્રિના 2.30 કલાકે વિનોદ ઉર્ફે દેવો ખેંગારભાઈ વડોદરિયા, સોમાભાઈ ઉર્ફે સોમરાજાભાઈ ચાવડા બન્ને રહે. કસવાળી જિ. સુરેન્દ્રનગર તેમજ ભુપતભાઈ સવુભાઈ સાઢમીયા અને મુકેશભાઈ ધનુભાઈ સાઢમીયા બન્ને રહે. રતનપર જિ. સુરેન્દ્રનગર બંધ મકાનમાં ચોરી કરવા આવ્યા હતા. બે ચોર ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘૂસી અને બે ચોર મકાનની બહાર ધ્યાન રાખતા હતા તે સમયે પાડોશીઓ જાગી જતા બહાર બેઠેલા તસ્કરો નાસી છુટ્યા હતા.મકાનની અંદર રહેલા વિનોદ ઉર્ફે દેવો ખેંગારભાઈ વડોદરિયા, સોમાભાઈ ઉર્ફે સોમરાજાભાઈ ચાવડાને રોકડ રૂપિયા 47000ની ચોરી કરી ફોરવ્હીલ ગાડીના કાચ તોડી રૂ. 2000નું નુકસાન કર્યું હતું. તસ્કરોને પકડી પાડવા પાડોશીએ પ્રયત્ન કરતા એક તસ્કરે નીચે માણસો ઉપર ધાબા પરથી ગીલોલ વડે પથ્થરમારો કરી 5ને ઈજા પહોંચાડી હતી. બંનેને પોલીસ હવાલે કર્યા હતા. રાજેશભાઈ કોડીયાએ બોટાદ રૂલર પોલીસ સ્ટેશનમાં વિનોદ ઉર્ફે દેવો વડોદરિયા, સોમાભાઈ ઉર્ફે સોમરાજાભાઈ ચાવડા (બન્ને રહે. કસવાળી જિ.સુરેન્દ્રનગર), ભુપતભાઈ સાઢમીયા, મુકેશભાઈ ધનુભાઈ સાઢમીયા (બન્ને રહે. રતનપર જિ. સુરેન્દ્રનગર) વિરૂધ્ધ ગુનો નોધાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इकोनॉमिक सर्वे का एक्स-रे देख चुका देश, प्रियंका चतुर्वेदी ने मंहगाई और बेरोजगारी को लेकर केंद्र सरकार पर साधा निशाना
नई दिल्ली। वित्त मंत्री निर्मला सीतारमण मंगलवार को वित्त वर्ष 2024-25 का केंद्रीय बजट पेश...
Hathras से Ayodhya आए रामभक्तों के इत्र से महक गई राम नगरी, सड़कों पर बनाई रंगोली | Aaj Tak Live
Hathras से Ayodhya आए रामभक्तों के इत्र से महक गई राम नगरी, सड़कों पर बनाई रंगोली | Aaj Tak Live
सावधान! देशभर में 1 जून से लागू होंगे चालान के नए नियम,
सरकारी क्षेत्रीय परिवहन कार्यालय की ओर से नए नियम जारी किए गए हैं। इन नए नियमों को 1 जून 2024 से...
ખેડા જિલ્લા 119 ઠાસરા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નટવયસિંહ રાઠોડ 2022 | Spark Today News
ખેડા જિલ્લા 119 ઠાસરા વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નટવયસિંહ રાઠોડ 2022 | Spark Today News
કલ્યાણપુર મામલતદાર કચેરી ખાતે લાંબા સમય થી કોમ્પુટર ઓપરેટર નો પગાર ના મળતા ઓપરેટરો હડતાળ માં ઉતર્યા
કલ્યાણપુર મામલતદાર કચેરી ખાતે લાંબા સમય થી કોમ્પુટર ઓપરેટર નો પગાર ના મળતા ઓપરેટરો હડતાળ માં ઉતર્યા